મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2020

ઉપસંહાર

 

સિહોરનો માનવભક્ષી દીપડો’- કેટલીક નોંધ.


વાચક મિત્રો તરફથી આ વારતા વિશે અવારનવાર પૃચ્છા થતી રહી છે, જેના સંદર્ભે એક-બે વાત અહીં કરવાનું ઉચિત માનું છું.


જિમ કોર્બેટ અને કેનેથ એન્ડરસનની શિકારકથાઓ મને વાંચવી ગમે છે. પ એક વાર  શિકારકથા લખવાની ચેલેન્જમાંથી આ વાર્તા જન્મી.આ સત્યઘટના નથી, પણ ફેન ફિક્શન છે જે લખવામાં મેં જિમ કોર્બેટની લેખનશૈલીને ધ્યાને રાખી છે.


જિમ કોર્બેટે નાગપુરમાં માનવભક્ષીનો શિકાર કર્યો હતો, પણ એ મધ્ય ભારતનું નહીં પણ હિમાલયમાં આવેલું નાગપુર.


બીજા વિશ્વયુદ્ધ વખતે તે સમયે મધ્ય પ્રાંતો કે સેંટ્રલ પ્રોવિંસીસ તરીક ઓળખાતા પ્રદેશના ગાઢ વનમાં જિમ કોર્બેટે બર્માના મોરચે જાપાન સામે લડવા જનારા સૈનિકોને જંગલક્રાફ્‌ટની તાલીમ આપી હતી. પણ ત્યાં તેમણે શ્વેતવર્ણી કે સામાન્ય, કોઇ માનવભક્ષી વાઘનો શિકાર કર્યો નથી.


બ્રિટનમાં જિમના પૌત્રભાણેજ જ્યોર્જ માર્શલ રહે છે એ વાત સાચી.


ધ્રુપકાની સીમમાં અત્યારે પણ દીપડા દેખા દઇ જાય છે.


આ વાર્તા પ્રશંસાયોગ્ય ગણનાર તમામ વાચકોનો આભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો